Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નંદેલાવ ગામની એક સોસાયટી અજાણ્યા ઈસમો દ્વારા લગ્ન પ્રસંગે કેટરર્સનું કામકરતા વ્યક્તિની એનાજ ઘરમાં હાથપગ બાંધી કરાઈ હત્યા

Share

ભરૂચ.

ભરૂચ શહેરને અડીને આવેલા નંદેલાવ ગામની એક સોસાયટીમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે

Advertisement

ભરૂચ શહેરને અડીને આવેલ નંદેલાવ ગામે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયમાં B-13 નંબરના મકાનમાં રહેતા રાજસ્થાની મૂળના અને કેટરર્સનો વ્યવસાય કરતા પ્રકાશ માલીની અજાણ્યા શખ્સોએ ગળે ટુંપો આપી હત્યા કરી દીધી હતી તેમનો મૃતદેહ હાથ પગ બાંદહેલી હાલતમાં રૂમમાંથી જ મળી આવ્યો હતો.

પ્રકાશ માલીની શ્રી રામદેવ પીર કેટરર્સ નામે કેટરિંગનો વ્યવસાય કરતા હતા. બનાવની ગંભીરતા સમજી ભરૂચ વિભાગીય પોલીસવડા સી.કે.પટેલ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશયલ ઓપરેશન ગ્રુપ અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા. જોકે હત્યારાઓ ડીવીઆર કાઢી ફરાર થઈ ગયા હતા.આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પરિવારજનો છેલ્લા ચાર દિવસથી તેમના વતનમાં ગયા હતા આ દરમિયાન રાજુ અને અન્ય એક ઈસમ પણ મૃતક સાથે રહેતો હતો ત્યારે તેમણે લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઉજ્જવલા યોજના અમલમાં છતાં અનેક પરિવારો ગેસ કનેક્શન વિહોણા.

ProudOfGujarat

રાજય સરકાર ગુન્હાખોરી અને નશાબંધી ડામવા કડકાઇથી કામ કરશેઃ

ProudOfGujarat

રાજપીપળામાં આદિવાસી એકતા પરિષદ દ્વારા કાળી પટ્ટી બાંધી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!