Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઈસ્લામ ધર્મ ના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી ને લઈ ભરૂચ ના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો મા આકર્ષક રોશની થી ઝળહળી ઉઠયા 

Share

હઝરત મોહમ્મદ સાહેબના 1500 માં જન્મદિવસની ઉજવણી ને લઈ ભરૂચ શહેરમાં ઞોષવાડ યંઞ કમિટી દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે ભરૂચ શહેરમાં ઞોષવાડ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષણ શણગાર કરવામાં આવ્યો છે જે લોકો મા આકૅષણ નુ કેન્દ્ર બની રહ્યું છે ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષા ઉલ્લાસથી અને ખુશીઓ સાથે કરવામાં આવી રહીછે અને અહીંયા દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે ઈસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મીલાદુન નબી તરીકે ઉજવામાં આવે છે ઈદે મિલાદુન નબી ઈસ્લામી કેલેન્ડર પ્રમાણે ત્રીજા મહિના ની ૧૨મી રબીઉલ અવલ ના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે 5મી સપ્ટેમ્બર ના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવશે 5મી સપ્ટેમ્બર ના રોજ ઈદે મિલાદુન નબી ની પર્વની ઉજવણી કરવામાં ભરૂચ શહેરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેર ની મસ્જિદો તેમજ દરગાહઓ સહિતના મુસ્લિમ વિસ્તારોના ઘરો ને રંગબેરંગી રોશની થી શણગારવામાં આવ્યા છે પેહલા ચાંદ થી મસ્જિદો તથા જાહેર ચોકમાં ઈદે મિલાદ સુધી કુરાન ખાની ,તકરીરો તથા નાત ખાની અને નિયાજ ના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે

Advertisement

Share

Related posts

ભરૂચ-ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માટે પત્ર લખી રજુઆત કરી..!!

ProudOfGujarat

રાજકોટ : પ્રથમ વખત મનપાનું સર્વર જામ થતા એક કલાક સેવાઓ ઠપ્પ થઈ.

ProudOfGujarat

વડોદરા : ગુજરાત સરકાર હસ્તકની શાળા – કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની છબી મુકવા મૂળનિવાસી એકતા મંચની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!