ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ સંપન્ન
05.09 અંકલેશ્વર-
અંકલેશ્વર શહેર માં ઇદે મિલાદુન્નબી ના તહેવારની ઉત્સાહભેર ઉજવણી ક૨વામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઇદે મિલાદુન્નબીના તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસો નીકળ્યા હતા . જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલલ્લાહો અલયહિ વસલ્લમ સાહેબના 1500 માં જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની પ્રતિ વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકત થી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ઠેર-ઠેર ઝૂલૂસ આમ ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. આજ રોજ ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહે૨ના કસ્બાતી વાડ થી નીકળી કાગદીવાડ, ગોયા બજાર, ભાટવાડ, ભંડાર હોટલ, મુલ્લાવાડ થઈ કાજી ફળિયા થી હઝરત હલીમશાહ દાતાર ભંડારી ની દરગાહ શરીફ ખાતે બાલ મુબારક ની જિયારત કરાવી જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ના ડીવાયએસપી ઓઝા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેર પી.આઇ. ચાવડા, પીએસઆઇ ચોહાણ તથા સ્ટાફ નાઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલ માં તહેવાર કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવાયો હતો.
. આ ઝુલુસ માં જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટી ના મુસતક શેખ, મુખ્તિયાર મલેક, વસીમ ફડવાલા,સૈયદ ગ્યાસુદ્દીન કાજી, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ આરીફ બાવા, બખ્તિયાર પટેલ, અમન પઠાણ, સહીત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
