અંકલેશ્વર નોટિફાઇડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે નોટિફાઇડ એરિયા અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવાયું હતું.આવેદનપત્રમાં જણાવાયું હતું કે ઉપક્રાંતા” અભિયાન અંતર્ગત સ્વ. એકમહમદસાઇ પટેલે અંકલેશ્વર વિસ્તારમાં વિકાસ તેમજ પ્રજાહિતના કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના સેવાભાવ અને કાર્યને સન્માન આપવા માટે જી.આઇ.ડી.સી. અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે, જેથી આવતી પેઢીઓ પણ તેમનું યોગદાન યાદ રાખી શકે.*
આ પ્રસંગે જીવનભાઈ સાવલિયા (પ્રમુખ, અંકલેશ્વર નોટિફાઇડ એરિયા કોંગ્રેસ સમિતિ), શૈલેષ પ્રજાપતિ (મહામંત્રી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ), સંજયસિંહ રાજ (કાર્યકારી પ્રમુખ, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ) સહિત મનુભાઈ સોલંકી, યોગેશભાઈ જોશી, રામ કુબેર પાંડે, અનિલભાઈ નેવે અને ઉપેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા.કોંગ્રેસ આગેવાનોને આશા છે કે તંત્ર આવનારા દિવસોમાં આ મુદ્દે હકારાત્મક નિર્ણય લઈને સ્વ. અહમદ ભાઈ પટેલના યોગદાનને સન્માન આપશે.
