વાંકલ ::
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ પ્રેરિત સુરત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા આયોજીત મહા રક્ત દાન કેમ્પ માંગરોલ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ ખાતે સવારે 10:00 થી 04:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં માંગરોલ ના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, દીપકભાઈ વસાવા,અનિલભાઈ શાહ, સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રી,માંગરોળ મામલતદાર ડો એચ વી ચાવડા, નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, ટીપીઈઓ પિયુષભાઈ ગામીત, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો, દરેક વિભાગના રક્તદાન કરનાર રક્તદાતાઓ અન્ય રક્ત દાતા હાજર રહેલા હતા માંગરોલ ના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ રીબીન કાપીને રક્તદાન કેમ્પ ખુલ્લો મુકેલ હતો વ્યક્તિ ના જીવનમાં રક્તદાનનું મહત્વ સમજાવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેર એ કરેલ હતું.
