ભરૂચ
ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ આવે તે માટે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 47 પ્રશ્નો રજૂ થયા હતા.કલેકટરએ અરજદારશ્રીઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપી ઝડપી નિરાકરણ તાકિદ કરી હતી. સાથે નીતિ-નિયમોને ધ્યાને રાખીને કામગીરી કરવા સુચના આપી હતી. આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ વરસાદના કારણે ખરાબ થયેલ રોડ-રસ્તા મરામતની કામગીરી, જમીનની માપણી, બિનકાયદેસર રીતે માર્જિન છોડ્યા વિના કરેલ બાંધકામ બાબત જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી.આ સ્વાગત કાર્યક્રમ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાંધલ, તેમજ અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
