પંચાયત માં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ના આવતા ગ્રામજનો ભારે રોષ ફેલાયો હતો. સજોદ આજુ માં આવેલા નવા સક્કરપોર ભાઠા ગામ કહતે 105 પરિવાર નો વસવાટ કરી રહ્યા છે. જુના સક્કર પર સામે નવા સક્કરપોર ગામ માં સુવિધા નો અભાવ હોવા નો આક્રોશ ફેલાયો છે.
અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામ નર્મદા નદીના પૂર અસરગ્રસ્ત હોવાથી સજોદ ગામ પાસે નવા સક્કરપોર ગામ ઉભું કરવામાં આવ્યું છે. જે ગામ માં હાલ 105 પરિવાર વસવાટ કરી રહ્યા છે. પરંતુ 5 વર્ષ ઉપરાંત થી ગામ માં સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે. રસ્તા તેમજ લાઈટ સહિતની સુવિધા ના હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ અંગે વારંવાર રજૂઆત પંચાયતના સભ્ય, સરપંચ ને કરવામાં આવી છે. છતાં હજુ સુધી કામ થયું નથી. વધુ માં તેઓ આવે છે પણ જોઈ ને જતા રહે છે. અને બસ થઇ જશે જણાવી રહ્યા છે. ગામ ના હાલ નવી સ્કૂલ બનાવ ની છે જે સાથે રસ્તો બનશે તેમ જણાવી રહ્યા છે. 5 વર્ષ પૂર્વે રસ્તો બન્યો હતો. જે બાદ બન્યો જ નથી. રોડ , રોડ બાજુ માં પેવર બ્લોક સહીત ની સુવિધા જ નથી. ચૂંટણી આવે ત્યારે જ બધા દેખાય છે. જે બાદ જોવા પણ મળતા નથી. જુના સક્કરપોર ગામ કરતા નવા સક્કર પોર ગામ માં સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે . અમારી એક જ માંગ છે. ગામ માં સારા રસ્તા, બ્લોક , લાઈટ સહીત ની સુવિધા કરવામાં આવે એ જ અમારી માંગ છે.
