ભરૂચ
વાગરા તાલુકામાં મોટરસાયકલ ચોરીનો એક વધુ બનાવ સામે આવ્યો છે. તા. 28/08/2023ના રોજ સાંજે વાગરાના જીઓ પેટ્રોલપંપ પાસે રહેતાં પુલક મનમથનાથ બિસ્વાસ પોતાની R15 મોટરસાયકલ (નંબર WB-52-BM-4296) લઈને બહાર ગયો હતો. બાદમાં તેણે મોટરસાયકલ પોતાના નિવાસસ્થાન પાસે પાર્ક કરી હતી, પરંતુ બીજા દિવસે સવારે તપાસ કરતાં મોટરસાયકલ ત્યાં જોવા મળી નહોતી. ફરિયાદીએ સ્વયં સ્તરે શોધખોળ કરી હતી, છતાં પણ મોટરસાયકલનો પત્તો ન લાગતા અંતે તેણે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. અજાણ્યા શખ્સ દ્વારા ગુનાહિત ઈરાદાથી મોટરસાયકલ ચોરી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસ ચોરીનો ગુનો નોંધાયો છે. પોલીસએ મોટરસાયકલ ચોરી કરનાર અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Advertisement
