ભરૂચ
ભરૂચ તાલુકાના નબીપુર ગામે રહેતા રતીલાલ ચતુરભાઈ વસાવા રાત્રીના રામયે તેમના સંબંધીને ત્યાં ભજન જોવા માટે ગયો હતો. જ્યાંથી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તે ઘરે પરત આવવા નિકળ્યો હતો. તે વેળાં દોઢેક વાગ્યાના અરસામાં માંચ પાટીયા નજીક આવેલી આનંદ હોટલથી થોડેક દૂર નબીપુર તરફ આવતાં વડોદરાથી ભરૂચ જવાના રોડ પર એક શખ્સ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પડેલો મળી આવ્યો હતો. કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું માલુમ પડયું હતું ઘટના અંગે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કરાર વાહન ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
Advertisement
