ભરૂચ
ભરૂચના લિંક રોડ પર આવેલા અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શ્રુતિમધુર શરૂઆત કરવામાં આવી છે. મહોત્સવ અંતર્ગત આજ રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા અને ઉત્સાહભેર માતાજીના જયઘોષો કર્યા હતા.
આવતીકાલથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શૃંખલા શરૂ થવાની છે, જેમાં પ્રતિષ્ઠા પારાયણ, લોકડાયરો, આનંદનો ગરબો તેમજ મહાપ્રસાદનો સમાવેશ થાય છે. સમગ્ર મહોત્સવ સુખ-સમૃદ્ધિ અને શાંતિના સંદેશ સાથે ધાર્મિક રંગત ઉજાગર કરી રહ્યો છે.
આ પાવન પ્રસંગનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને આયોજક મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
