Proud of Gujarat
FeaturedGujaratINDIA

તવરા ગામના બેટમાં આહિર સમાજના પરિવારના 21 બકરાના અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળ્યા.

Share

ભરૂચ તાલુકાના તવરા ગામમાં આહીર સમાજના પરિવારો જેમાં હીરાભાઈ છગનભાઈ આહિર નારણભાઈ શનાભાઈ આહિર જે લોકો તવરા નર્મદા નદીના સામેના કિનારે પશુપાલન કરી તેઓનું જીવન ચલાવે છે.આજરોજ તેઓ તવરા ગામના નર્મદા નદીના કિનારે નદીના સામેના કિનારે તેઓના ( ચૌવારા )વાળા આવેલા છે. જેમાં આજરોજ સવારે 7:00 વાગ્યે તેઓ વાડામાં જતાં તેઓના 21 બકરા કોઇ અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળીયા. જેમાં ૧૯ બકરીઓ તથા ૨ બકરા મૃત હાલતમાં મળતા જેની જાણ માલધારી સમાજના આગેવાન ઝીણાભાઈ ભરવાડને કરતા તેઓએ જિલ્લા પશુપાલન અધિકારીને કરતા ડોક્ટર તૃપ્તિબેન તથા તવરા ગામના તલાટી દશરથભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા ડોક્ટર તૃપ્તિબેનએ બકરાનું પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તથા તલાટીએ પંચકેસ કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

જામનગર શહેરમાં આગામી તા.14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ રહેશે

ProudOfGujarat

ભરૂચ : જંબુસરમાં ક્રેનની અડફેટે આવી જતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ, વિઝિબ્લિટીમાં ઘટાડો થતા વાહન વ્યવહારને થઈ અસર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!