Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર સ્થિત ચામુંડા માતાનું મંદિર આજથી 11 દિવસ દર્શન માટે બંધ રહેશે કોરોના વાયરસની દહેશતને પગલે આ નિર્ણય લેવાયો છે.

Share

વિશ્વભરમાં આજે ફેલાયેલા કોરોના નામનો વાયરસથી સમગ્ર દેશો ચિંતિત છે. ત્યારે સરકાર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ચોટીલા પ્રાંત કચેરી ખાતે તા.17 માર્ચને મંગળવારે તાલુકાના તમામ ધાર્મિક સ્થળોના સંતો-મહંતો સાથે ડેપ્યુટી કલેકટરે બેઠક બોલાવી હતી. જેમાં સ્વૈછીક રીતે ધાર્મિક સ્થળો બંધ રાખવા માટે અપીલ કરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોરાના વાઇરસને લઇને સાવચેતીના પગલા રૂપે ચોટીલા પંથકના ધાર્મિક સ્થળો બાબતે આયોજન કરાયુ હતુ. જેમાં ચોટીલા પ્રાંત અધિકારી આર.બી.અંગારીએ તા.17-3-2020ના રોજ પ્રાંત કચેરી ખાતે તાલુકાના તમામ ધાર્મિક સ્થળો માટે બેઠક બોલાવાઈ હતી. જેમાં દરેક પોતાના ધાર્મિક સ્થળો તા.18 થી 29 માર્ચ-2020 સુધી બંધ રાખવા માટે નિર્ણય કર્યો હતો. દર્શન કરવા આવતા દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય અંગે સરકાર તેમજ અમોને ચિંતા રહેતી હોવાથી સરકારના આ નિર્ણયને માન આપી તા.18-3-2020 થી તા.29-3-2020 સુધી મંદિર બંધ રહશે એમ ચામુંડા માતાજી મંદિર ડુંગરના મહંત અમૃતગિરિ બાપુએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરામાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખની નેમ પ્લેટ લગાવી ફરતી કારે દંપતીને અડફેટે લીધા, એકનું મોત, કારમાંથી મળી દારૂની બોટલ અને બિરયાની

ProudOfGujarat

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓ.એન.જી.સી.કંપનીમાં નોકરી લગાડવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

સુરત શહેર જિલ્લાના તમામ જનસેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૦૨ જૂનથી રાબેતા મુજબ શરૂ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!