Proud of Gujarat
FeaturedGujaratINDIA

દ્વારકા : મુક્ત બજારમાંથી મળતા ડીઝલ પર સબસિડી ન અપાતા માછીમારોમાં રોષ, ઓખાબંદર પર 1200 જેટલી બોટ બંધ

Share

દ્વારકા જિલ્લાના ઓખામંડળ સહિત રાજ્યભરના માછીમારોએ મુક્ત બજારમાંથી મળતા ડીઝલ પર સબસિડી ન અપાતા આક્રોશ વ્યક્ત કરી મુક્ત બજારના માન્ય પંપના બિલો સબસિડી માટે માન્ય રહે તેવા પરિપત્રમાં ફેરફાર કરવા માગ કરી છે. ઓખા બંદર પર હાલ લગભગ 1200 જેટલી બોટ બંધ હોવાનું કેટલાક માછીમારોએ જણાવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ, માછીમાર મંડળીના ડીઝલ બિલ જ સબસિડી માટે માન્ય હોવાનું જણાવ્યું છે આથી માછીમારોને મુક્ત બજારના ભાવ કરતાં આશરે પોણા ચાર રૂપિયા લીટર પર વધારે ફરજિયાત ચૂકવી મંડળીમાંથી જ ડીઝલ લેવું પડે છે, જેથી સબસિડીનો પૂરેપૂરો લાભ મળતો નથી.

જો સરકાર સબસિડીવાળા ડીઝલ માટે મુક્ત બજારના સરકાર માન્ય પંપના બિલ માન્ય રાખવાનો સામાન્ય ફેરફાર કરવામાં આવે તો માછીમારોના કરોડો રૂપિયા બચી શકે તેમ છે. આ બાબતે વહેલી તકે નિર્ણય લેવા અને નિવારણ કરવા માછીમારોએ ઉગ્ર માગ કરી છે. જો આ ફેરફાર કરવામાં આવે તો ઓખબંદર પર બંધ લગભગ 1200 બોટો ફરીથી શરૂ થઈ શકે તેમ છે. માછીમારો દ્વારા આ અંગે સરકારને ત્વરિત ધોરણે યોગ્ય નિર્ણય કરવા ભારપૂર્વક માગ કરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં જળસંકટના એંધાણ વચ્ચે નર્મદા ડેમની સપાટીમાં 26 સેમીનો વધારો થતા સરકારને હાશકારો.

ProudOfGujarat

ભરૂચ : ઝંઘાર ગામનાં આગેવાનો અને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ દ્વારા સયુંકતપણે કોરોના સંક્રમણ અટકાવવા માટે એક કેમ્પનું આયોજન ઝંઘાર ગામ ખાતે શનિવારનાં રોજ રાખવામાં આવેલ છે.

ProudOfGujarat

સાયલા ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!