Proud of Gujarat
FeaturedGujaratINDIA

કાલોલ તાલુકા ના શામળદેવી ગામમાં જાગૃત યુવાનો દ્વારા લોકડાઉન દરમિયાન નૉવેલ કોરોના વાયરસ ને ગંભીરતા દાખવી ગામના બંન્ને મેઈન પ્રવેશ દ્વાર પર બેનર મારી બહાર ગામના લોકોએ આવવુ નહી!”

Share

કોરોના વાઇરસનો કહેર સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ચીનમાંથી ફેલાયેલો વાઇરસ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારત સહિત ગુજરાતમાં પણ આ વાઇરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. એવામાં કોરૉનો વાઇરસથી સતત વધતા સંક્રમણ ને ધ્યાનમાં લઇને મંગળવારે પ્રધાનમંત્રી મોદી એ સંપૂર્ણ દેશમાં લોકડાઉન ની જાહેરાત કરી છે અને ૨૧ દિવસ સુધી ઘર ની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. ત્યારે કાલોલ તાલુકા ના શામળદેવી ગામમાં જાગૃત યુવાનો દ્વારા લોકડાઉન દરમિયાન નૉવેલ કોરોના વાયરસ ને ગંભીરતાથી લઈને ગામ લોકોને સમજણ આપી હતી. લોકોને જાગૃત કયૉ હતાં. અને ગામના બંન્ને મેઈન પ્રવેશ દ્વાર પર બેનર મારી બહાર ગામના લોકોએ આવવુ નહી!” અને ગામલોકોને કામ સિવાય ઘરની બહાર ના નિકળવા માટે સમજણ આપવામાં આવી હતી. વારંવાર હાથ ધોવા, ચાર થી વધારે લોકોને ભેગા થવું નહી. દુકાનો ૧૨ થી ૪:૦૦ બંધ રાખવી સરકાર ના આદેશ મુજબ ૨૧ દિવસનાં લોકડાઉન નું ચુસ્તપણે પાલન કરવાનું કહ્યુ હતું.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લખતર ગ્રામ પંચાયતમાં ઉચાપત થઈ હોવાના પુરાવા આપી તપાસ કરવા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

સોનેરી મૂરત તૈયાર | PMના હસ્તે 600 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને ખાડી પ્રોજેક્ટ સપ્ટેમ્બરમાં લોકાર્પણની શક્યતા…

ProudOfGujarat

ભરૂચ : સબજેલ પાસે આવેલ ખુલ્લા મેદાનની સુકી ઘાસમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!