Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા પાસેના પોપટપુરા ના ગણેશમંદિરે દર્શન કરવા ભાવિકોની લાબી લાઇન લાગી.

Share

ગોધરા,

Advertisement

ગોધરા શહેરમા આવેલા પોપટપુરા પાસે આવેલા ગણેશમંદિર ખાતે આજે મોટી સંખ્યામા ભાવિક ભકતો ઉમટી પડયા હતા.ગોધરા- વડોદરા હાઇવે પર આવેલુ હોવાથી અહી રસ્તે જતા પ્રવાસીઓએ પણ દર્શનનો લાભ લીધો હતો.સમી સાજે મંદિરની બહાર ગણેશ દાદાના દર્શન કરવા લાબી લાઇનો લાગી હતી.
પંચમહાલ જીલ્લામા એક માત્ર ગણેશ મંદિર ગોધરા -વડોદરા હાઇવે માર્ગ પર પોપટપુરા ગામે આવેલુ છે. આ મંદિર મા ગણેશની પ્રતિમા ૧૦૦ પુરાણી અને
અહી જગ્યાએ સ્વંભુ પ્રગટ થઈ હતી.આજે અંગારચોથ હોવાથી સવારથી દાદાના ભકતોનો પ્રવાહ ધીમેધીમે વધતો હતો અહી આજે મેળો પણ ભરાયો હતો,સમી સાંજે ભકતોના પ્રવાહમા વધારો થયો હતો.અનેલાંબી લાઇનો લાગી હતી.
સાથે દર મંગળવારે પણ અહી ભકતો ઉમટી પડે છે.અને ગણેશ ચર્તુથીમા તો જાણે અહી ઘોડાપુર ઉમટી પડે છે.
દર્શનાથે આવેલી જયશ્રી પરમારે જણાવ્યુ કે ” અહી દાદા સૌની મનોકામના પુર્ણ કરે છે.એટલે માત્ર ચોથ જ નહી પણ જયારે આ મંદિર પાસેથી પસાર થવાનો મોકો મળે છે ત્યારે શિશ ઝુકાવુ છુ અને દાદાએ મારા દરેક કાર્યો મા સફળતા અપાવી છે,


Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ૪૩ શાળાઓમાં ૧૧૪ જેટલી આરોગ્યની ટીમો ૧૫-૧૮વર્ષના બાળકોને કોરોના રસીકરણ કરશે.

ProudOfGujarat

વ્યારા :મહાત્મા જ્યોતિબા ફૂલે અને ડૉ.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કેચરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકારો ને અપમાનિત કરવા બાબત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!