Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા લધુમતી મોરચા દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રકતદાન શિબીર યોજાઈ.

Share

પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા પુનાવાલા ઉપ-પ્રમુખ રિઝવાન મુલતાની તથા હોદ્દેદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગોધરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 71 માં જન્મદિવસ નિમિત્તે 71 યુનિટ રકત એકત્રિત થાય એ માટે અથાગ પ્રયત્નો કરી સંકલ્પ સિદ્ધ થયેલ છે.

રેડકોસ સોસાયટીના હોદ્દેદારો દ્વારા તથા લઘુમતી મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્તદાતાઓને સર્ટીફીકેટ તથા ગિફ્ટ આર્ટીકલથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સીકે રાઉલજી, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ, નગર પાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ગોધરા અર્બન બેંકના કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરતા કુલ ૭૬ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. એક યુનિટમાં ૩ જીવોની જિંદગી બચાવાઈ છે લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા પુનાવાલાની આ માનવીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલમાં રેસીડેન્સીમાંથી જીવદયા પ્રેમીઓએ સરીસૃપને પકડી પાડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીક બે મોટરસાયકલ વચ્ચેનાં અકસ્માતમાં એકને ગંભીર ઇજા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 3106 બેઠકો સામે 7736 અરજીઓ : બે રાઉન્ડમાં હજારો બાળકોને મળ્યો ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!