Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા લધુમતી મોરચા દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રકતદાન શિબીર યોજાઈ.

Share

પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા પુનાવાલા ઉપ-પ્રમુખ રિઝવાન મુલતાની તથા હોદ્દેદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગોધરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 71 માં જન્મદિવસ નિમિત્તે 71 યુનિટ રકત એકત્રિત થાય એ માટે અથાગ પ્રયત્નો કરી સંકલ્પ સિદ્ધ થયેલ છે.

રેડકોસ સોસાયટીના હોદ્દેદારો દ્વારા તથા લઘુમતી મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્તદાતાઓને સર્ટીફીકેટ તથા ગિફ્ટ આર્ટીકલથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સીકે રાઉલજી, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ, નગર પાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ગોધરા અર્બન બેંકના કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરતા કુલ ૭૬ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. એક યુનિટમાં ૩ જીવોની જિંદગી બચાવાઈ છે લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા પુનાવાલાની આ માનવીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ચોંકાવનારો ખુલાસો : સાબરમતી નદી, કાંકરીયા – ચંડોળા તળાવના પાણીમાં મળ્યો કોરોના વાયરસ.

ProudOfGujarat

માંગરોળના વેરાકુઈ ગામે ઓવરલોડેડ કપચી ભરેલા ટ્રક ડમ્પરોને કારણે વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat

ભરૂચમાં ગુંજશે મા મોઢેશ્વરીનો જયજયકાર: ૩૧મીએ ભવ્ય ૨૬મો પાટોત્સવ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!