Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા શહેરના સિંદુરીમાતા મંદિર પાસે આવેલ છકડાવાસ વિસ્તાર પાસે વીજ થાંભલો જર્જરિત હાલતમાં.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે આવેલ સિંદુરીમાતા મંદિર છકડાવાસ વિસ્તારમાં આવેલ એમ.જી.વી.સી.એલ. નો વીજ થાંભલો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. વીજ થાંભલામાં પાયાના ભાગમાં મોટી તિરાડો નજરે પડી રહી છે.

આ થાંભલો રસ્તાની બાજુએ હોવાથી રસ્તા પરથી પસાર થનાર લોકોના જીવ જોખમ પડી રહ્યા છે ત્યાના સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર એમ.જી.વી.સી.એલ ની ઓફિસમાં ફરિયાદ કરવા છતાય તે અંગે વીજ કચેરીના કર્મચારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી.

તે વિસ્તારના જાગૃત નાગરિકે વધુમાં જણાવ્યું હતું કે આ થાંભલો ઘણા સમયથી આવી જર્જરિત હાલતમાં છે ત્યાં થાંભલાની આજુબાજુ રસ્તા આવેલ ત્યાં લોકો અવરજવર કરે છે તો તે લોકોને વીજ કરંટ લાગવાનો ભય રહ્યો છે અને આ થાંભલાના નીચેના ભાગમાં મોટી તિરાડો હોવાથી આ થાંભલો ધરાસાઇ પણ થઇ શકે છે જેથી તે વિસ્તામાં વસવાટ કરતા લોકોને જાન માલ અને મિલકતોને નુકશાન થઇ શકે છે તેથી ત્યાના નાગરિકો દ્વારા એમ.જી.વી.સી.એલ ને લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાય તે વીજ થાંભલા વિષે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેથી ત્યાના નાગરિકો એમ.જી.વી.સી.એલ ના અધિકારીઓને વિનંતી કરી રહ્યા છે કે આ વીજ થાંભલાનો નિકાલ ઝડપી લાવે. યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી સાંપ્રત સમયમાં જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે.

ProudOfGujarat

ગોધરા તાલુકાના ઓરવાડા ગામે મનરેગા યોજનામા કૌભાંડના આક્ષેપ સાથે ગ્રામજનોનુ તંત્રને આવેદન

ProudOfGujarat

આમોદમાં ધોળા દિવસે અછોડા તોડ ટોળકી ત્રાટકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!