Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં “હર ઘર તિરંગા” અભિયાનમાં નગરજનોને જોડાવા મનપાની અપીલ

Share

જામનગરમાં 15 ઓગસ્ટના 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ નું આયોજન કર્યું હોય આ વર્ષે પણ શહેરમાં દરેક ખાનગી, સરકારી અને રહેણાંક મકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાઈ તે માટે જામનગર મનપાએ જાહેર જનતાને અપીલ કરી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે તા. 13/8/23 થી તા. 15/ 8 /23 સુધી સમગ્ર શહેરમાં તમામ સરકારી ખાનગી બિલ્ડીંગો રહેણાક મકાનો એપાર્ટમેન્ટ ટેનામેન્ટ વગેરે જગ્યા ઉપર દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ તિરંગા ને સંપૂર્ણ સન્માન સાથે લહેરાવવાનો હોય તો ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે નગરજનો પાસે સંપૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રધ્વજ સચવાયેલ હોય તે તમામ શહેરીજનો આ વર્ષે પણ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા અભિયાનમાં સંપૂર્ણ ઉમંગ ઉત્સાહ સાથે સંમેલિત થાઓ અને સંપૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરે તેવી જામનગર મહાનગર પાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે. આપના પ્લેઝ અને સેલ્ફી https:// merimaatimeradesh.gov.in વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડીમાં નાના બાળકોએ જીવનનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર – હાંસોટ પંથકના ગામ તળાવોમાં કમળ ના ફૂલો સ્વયભૂ અવતરણ પામતા હોય છે, એટલે કે  ગામ તળાવ માં સ્વયંભૂ રીતે કમળો ઉગતા આવ્યા છે જોકે અનેક આશ્ચર્યો વચ્ચે ગ્રામજનો કમળ ના ફૂલોને વ્યવસાયિક આવક સ્ત્રોત તરીકે સ્વીકાર્યું નથી

ProudOfGujarat

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!