Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં “હર ઘર તિરંગા” અભિયાનમાં નગરજનોને જોડાવા મનપાની અપીલ

Share

જામનગરમાં 15 ઓગસ્ટના 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ નું આયોજન કર્યું હોય આ વર્ષે પણ શહેરમાં દરેક ખાનગી, સરકારી અને રહેણાંક મકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાઈ તે માટે જામનગર મનપાએ જાહેર જનતાને અપીલ કરી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે તા. 13/8/23 થી તા. 15/ 8 /23 સુધી સમગ્ર શહેરમાં તમામ સરકારી ખાનગી બિલ્ડીંગો રહેણાક મકાનો એપાર્ટમેન્ટ ટેનામેન્ટ વગેરે જગ્યા ઉપર દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ તિરંગા ને સંપૂર્ણ સન્માન સાથે લહેરાવવાનો હોય તો ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે નગરજનો પાસે સંપૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રધ્વજ સચવાયેલ હોય તે તમામ શહેરીજનો આ વર્ષે પણ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા અભિયાનમાં સંપૂર્ણ ઉમંગ ઉત્સાહ સાથે સંમેલિત થાઓ અને સંપૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરે તેવી જામનગર મહાનગર પાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે. આપના પ્લેઝ અને સેલ્ફી https:// merimaatimeradesh.gov.in વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે.

Advertisement

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક મળી.

ProudOfGujarat

ભરૂચ શહેર અને જીલ્લા માં સવાર થી ઉતરાયણ પર્વ નું હર્ષોઉલાશ સાથે ઉજવણી નો માહોલ સર્જાયો હતો…

ProudOfGujarat

અંકલેશ્વર ઉમરવાડા ગામ સીમમાં શેરડીના ખેતરમાંથી હત્યા કરાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર, આડા સબંધની શંકાએ હત્યા કરાઇ હોવાનું અનુમાન..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!