Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ.

Share

કરજણમાં વહેલાં તે પહેલાનાં ધોરણે કપાસની ખરીદી સી.સી.આઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે અચાનક અચોક્કસ મુદતની નોટિસથી બંધ કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. કરજણ સી.સી.આઈ દ્વારા તા.૨૬ મે ના રોજથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે કરજણ, શિનોર, આમોદ, પાદરાનાં હજારો ખેડૂતો ટ્રેક્ટરોમાં કપાસ ભરી કરજણ રોજેરોજ વેચાણ માટે આવી રહ્યા હતાં. પરંતુ તા.૫ જૂનને શુક્રવારે રાત્રીએ કરજણ પંથકમાં નજીવો વરસાદ થતાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાય ગયો હતો. હાલમાં અસંખ્ય કપાસ ભરેલ ટ્રેક્ટરોનો ભરાવોના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છવાય ગયા છે. શનિવાર તા.૬ જૂનનાં ખેડૂતો ટ્રેક્ટરોમાં ભરેલા કપાસનાં વેચાણ માટે એકત્ર થઈ કૂપનો બતાવી તો સી.સી.આઈ એ હાથ ઊંચા કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વેપારીઓનો કપાસ બારોબાર ખરીદી કરી સી.સી.આઈ ખેડુતોની સાથે અન્યાય કરાય રહ્યાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે. કરજણમાં ખેડૂત આલમમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

“સ્પ્રે નોઝલ” નો ઉત્પાદન કરતી જર્મન ટેકનોલોજીની કંપની LECHLER ઇન્ડિયા પ્રા.લિ. નું ઉદ્ધાટન આજરોજ દહેજના રહિયાદ ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામની ટ્રસ્ટની જમીનમાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો ઠાલવવા બાબતે ભાડુઆત અને ભૂતપૂર્વ ટ્રસ્ટીને જીપીસીબી દ્વારા 25 લાખનો દંડ કરાયો.

ProudOfGujarat

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કચેરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકાર ને અપમાનિત કરતા શિરસ્તેદાર એન.આર.પટેલ સામે શિક્ષાત્મક પગલા ભરવા મહેસુસ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત ને લેખિતમાં રજૂઆત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!