Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહિસાગર : બાલાસિનોરમાં અકસ્માતમાં લગ્નના વરઘોડા પર કાર ફરી વળતાં 25 લોકો ઈજાગ્રસ્ત

Share

ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું છે. ગઈકાલે નીકળેલા લગ્નના વરઘોડામાં નાચતા મહેમાનોને પુર ઝડપે આવતી સ્વીફ્ટ કારે અડફેટે લેતાં 25 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

હાલ ચાલી રહેલી લગ્નસરાની સિઝનમાં ઠેર ઠેર લગ્નો યોજાઈ રહ્યાં છે. ત્યારે ગઈકાલે બાલાસિનોરમાં દેવી પૂજક પરિવારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે વરઘોડો નીકળ્યો હતો. જેમાં મહેમાનો નાચી રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક પુરઝડપે આવતી કારે મહેમાનોને અડફેટે લેતાં આખા રસ્તે ચીચીયારીઓ શરૂ થઈ ગઈ હતી. કારની અડફેટથી 25 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.આ અંગેની જાણ થતાં બાલાસિનોર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં શહેરની કે.એમ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતના વરાછા વિસ્તારમાં ૧૬ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલકની વરાછા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

સેલંબામાં મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી : જૈન સમાજ દ્વારા ભવ્ય વરઘોડા સાથે અહિંસાનો સંદેશ પ્રસરાવ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!