Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાની સરકારી પ્રા.શાળાના બાલવાટિકાના શિક્ષકોની તાલીમ બીઆરસી ભવન ખાતે યોજાઈ

Share

માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળાના બાલવાટિકાના શિક્ષકોની તાલીમ બીઆરસી ખાતે યોજાઇ હતી. તાલુકાની કુલ ૧૨૦ સરકારી શાળાઓમાં આ વર્ષે બાલ વાટિકા એટલે કે પાંચ વર્ષ પૂર્ણ કરનાર અને છઠ્ઠા વર્ષમાં પ્રવેશનાર બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવેલ છે આ બાળકોને કઈ રીતે શૈક્ષણિક કાર્ય કરાવી શકાય જેમાં વિવિધ પ્રવૃત્તિ જોડકણા, વાર્તાઓ, અભિનય ગીત મૃત વસ્તુઓની ગણતરી દ્વારા બાળક રમતા રમતા શિક્ષણ મેળવી શકે અને બાલ વાટિકા અંતર્ગત જે ક્ષમતાઓ બાળકોને સિદ્ધ કરાવવાની છે એ સિદ્ધ કરી શકે તે માટેની ત્રણ દિવસીય તાલીમ યોજવામાં આવી હતી જેમાં વિવિધ માસ્ટર ટ્રેનર દ્વારા આ તાલીમ બાલ વાટિકાના શિક્ષકોને આપવામાં આવી હતી. બી આર સી હીરાભાઈ ભરવાડ જણાવ્યું કે તાલીમ થકી બાલ વાટિકાના બાળકોને સહજ રીતે વર્ગખંડમાં શીખવી શકે તે માટે શિક્ષકોને તૈયાર કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચી નાકા પાસે નાળા પર પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકોનો જોખમી શોર્ટકટ

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ૨૯૭૮ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડઝના જવાનોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન.

ProudOfGujarat

નર્મદા જયંતી ઉજવવા માટે નર્મદામાં પાણી છોડવાના મુદે ભજન મંડળી સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરાશે : મહેશ પરમાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!