Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી. જાહેર મંડપો કે પંડાલને બદલે ઘરે ઘરે શ્રીજીને બિરાજમાન કરવાનો ટ્રેન્ડ દેખાયો. કોરોના કાળને કારણે ગણેશ ઉત્સવની ઝાકમઝાળ આ વખતે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં ગણેશોત્સવ સાર્વજનિક નહિ હોય ! આ વખતે સોસાયટી કે અપાર્ટમેન્ટમાં વિશાળ પ્રતિમાને બદલે નાની પ્રતિમાની સ્થાપના કરી ભક્તોએ સંતોષ માનવો પડશે. વાંકલ ખાતે પણ ગણેશ ઉત્સવ ફિક્કો નજરે પડયો હતો. વાંકલમાં સ્ટેશન વિસ્તારમાં ડૉ. યુવરાજસિંહના ઘરે, આઝાદચોકમાં ઉમેશભાઈ મોદીના ઘરે, બજેટ ફળીયામાં વિજયભાઈ વસાવાના ઘરે ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવ્યું હતું.

વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ.જી. સુરત

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં 500 (પાંચસો)થી વધુ આ પરિવાર ને 100 (સો)ચોરસ વારના પ્લોટ આપવામાં આવેલ છે.

ProudOfGujarat

હલધરવાસ ૧૦૮ ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમા પ્રસ્તૃતિ કરાવી, મહિલાએ જોડાયા બાળકોને જન્મ આપ્યો

ProudOfGujarat

“ફિટ રહો, હિટ રહો”ના સંદેશ સાથે EPFO ભરૂચની સાયકલ રેલી : ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અધિકારીઓ-કર્મચારીઓએ આપ્યો સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!