Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં દેગડિયા ગામે દીપડાએ બે વાછરડાનો શિકાર કર્યો.

Share

માંગરોળ તાલુકાનાં દેગડીયા ગામે ગત રાત્રિ દરમિયાન દીપડાએ બે વાછરડાનો શિકાર કરતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેગડીયા ગામના ખેડૂત પશુપાલક ઐલેશભાઇ બચુભાઈ ગામીત ખેતરમાં ઘર બનાવીને રહે છે ગત રાત્રિ દરમિયાન તેઓના ખેતરમાં દીપડો આવ્યો હતો અને ઘર નજીકના કોઢારામાં બાંધેલા બે વાછરડાનો શિકાર કર્યો હતો એક વાછરડો સ્થળ પર મૃત હાલતમાં હતો જ્યારે બીજા નાના વાછરડાને દીપડો લઈ ગયો હતો. ખેડૂત પશુપાલકે ઘટનાની જાણ સવારે વાંકલ વન વિભાગની કચેરીને કરતા વન વિભાગ દ્વારા મૃત વાછરડાનો કબજો લેવામાં આવ્યો હતો અને મૃત વાછરડાનું પી.એમ કરાવી ખેડૂતને નુકસાનીનું વળતર મળે તે અંગેની કાર્યવાહી વનવિભાગ દ્વારા હાલ કરવામાં આવી છે. દીપડાના હુમલાથી ગામના ખેડૂત પશુપાલકોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે વનવિભાગ દિપડાને પાંજરે પુરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદ પોલીસે વધુ 22 ભેસોનું ક્રુરતાપૂર્વક વહન કરતાં ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

આવાસ યોજના હેઠળ બે લાખથી વધુ મકાન બનશે વલસાડમાં સંકલ્પ પૂર્ણ કરવાની રૂપાણીની ખાતરી : શ્રેણીબદ્ધ લોકોપયોગી યોજનાઓ અમલમાં મુકવા બદલ પણ વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

ProudOfGujarat

ભરૂચ: લુવારા પાટિયા પાસે હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બે લક્ઝરી બસ અને ટ્રક અથડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!