Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : રાજપારડી પંચાયત દ્વારા ગામમાં રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે, ત્યારે સરકારી તંત્ર પણ લોકોને કોરોનાથી બચાવવા રાત દિવસ એક કરી જહેમત ઉઠાવી રહ્યુ છે. કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતા ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે રાજપારડી ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય કર્મચારીઓના સહયોગથી ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળો બનાવીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનુ સેવન મહત્વનું હોઇ લોકોને તેનો લાભ લેવા જણાવાયુ હતુ. રાજપારડીના ઇન્ચાર્જ સરપંચ પી.સી.પટેલ, પીએસઆઇ જે.બી.જાદવ અને રાજપારડી આરોગ્ય કેન્દ્રના તબીબ મોઇન મલેકે લોકોને કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. કોરોનાથી બચવા સામાજીક અંતરનુ પાલન પણ જરૂરી છે. નિયમો જાળવીને કોરોનાને હરાવી શકાય. ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી કે લોકો કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્તપણે પાલન કરે. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવુ, સામાજિક અંતર જાળવવું જેવા જરૂરી નિયમોનું પાલન કરવુ ખાસ જરૂરી હોવાની વાત પર ભાર મુકવામાં આવ્યો હતો. રાજપારડી પી.એચ.સી. ના કર્મચારીઓ દ્વારા નિયમિત રીતે ગ્રામજનોને જરૂરી સુચનો અને સલાહ આપવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

વડોદરામાં સીટી બસની સર્વિસ જોખમી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર્તાએ કોન્ટ્રાક્ટ રદ કરવા કરાઇ માંગ

ProudOfGujarat

તબિયત ખરાબ હોવા છતાં શીઝાન એ નઝર 2 ની શૂટિંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!