Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી : મંત્રીઓ, પદાધિકારીઓએ ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’ ની થીમ પર યોગદિનની ઉજવણી કરી.

Share

આપણી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિનુ દુનિયાને આગવું યોગદાન એટલે યોગ મન આત્મા અને શરીરના સ્વાસ્થ્ય માટે યોગ શ્રેષ્ઠ છે. કોરોના સામેના આ જંગમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો ઉપાય પણ યોગ જ છે, ત્યારે કોરોના સંકટ દરમિયાન ઘરે રહીને પણ મંત્રીઓ, પદાધિકારીઓ, નાગરિકોએ ‘‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’’ની થીમ પર યોગદિનની ઉજવણી કરી હતી.

વિશ્વ યોગ દિવસે વહેલી સવારે વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા ખાતે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે બાબેન ખાતે તથા આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ ફુલપાડા ખાતે તથા અન્ય પદાધિકારીઓએ વિવિધ યોગમુદ્રામાં યોગાસનો કરી સૌ નાગરિકોને- સુરતવાસીઓને ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. યોગના મહત્વને ઉજાગર કરતા શારીરિક, માનસિક અને વૈચારિક તંદુરસ્તી પ્રદાન કરતી યોગ વિદ્યાને દૈનિક જીવનમાં સામેલ કરી જીવનને ઉત્તમોત્તમ બનાવવા તથા તંદુરસ્ત આનંદમય જીવન જીવવાનો આરોગ્ય મંત્રીશ્રી અને મેયરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત શહેર-જિલ્લામાં સોશિયલ ડિસ્ટીન્સીંગ સાથે નાગરિકોએ યોગદિનની ઉજવણી કરી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચના ગરીબ લોકોને જીપ્સમ વાળું અનાજ આપવામાં આવે છે જાણો વધુ.

ProudOfGujarat

કોરોના મહામારીમાંથી મુક્તિ મેળવવા હજુ ભરૂચીઓએ ગ્રીન જોનમાં આવવાં 21 દિવસની રાહ જોવી પડશે..!!જાણો વધુ.

ProudOfGujarat

રાજપીપળા : બિનજરૂરી બહાર ફરતા લોકોને સફેદ ટાવર પાસે પોલીસે રોકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!