Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : કંટવાવ ગામના નવનિર્મિત ભગવાન કરુણાસાગર મંદિરે ત્રિદિવસીય પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Share

માંગરોળ તાલુકાના કંટવાવ ગામે નવનિર્મિત ભગવાન કરુણાસાગર મંદિરનો પટ પ્રતિષ્ઠા મહોત્સવ સંત રમેતીરામ અને સંત અજીત દાસ મહારાજના સાનિધ્યમાં યોજાશે. આ મંગલ અવસરના મુખ્ય મહેમાનપદે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહી કથા સત્સંગનો લાભ લેશે. દિવ્ય પરમગુરૂ શ્રીમંત કરુણા સાગર ભગવાન મંદિર પટ-પ્રતિષ્ઠા આયોજન સમિતિ એવમ સમસ્ત ભક્ત સમાજ કંટવાવ દ્વારા ઉપરોક્ત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 10 થી આ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં મંગલા આરતી અખંડ કેવલ ધુન પ્રભાત ફેરી ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે. તારીખ 11 ના રોજ સંતોનું આગમન થશે ત્યારબાદ કથા સત્સંગ ભજન કીર્તનના કાર્યક્રમ યોજાશે. તારીખ 12 ના રોજ શોભાયાત્રા પટ પ્રતિષ્ઠા થશે મંગલ અવસરે ધાર્મિક સત્સંગનો લાભ લેવા માટે કાયમ પંથ ભક્ત સમાજ દ્વારા ધર્મપ્રિય લોકોને અપીલ કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને પાલેજ ખાતે મુસ્લિમ સમાજે અંજલિ આપી.

ProudOfGujarat

અર્કોએ જાન કુમાર સાનુ સાથે તેના આગામી નવા મ્યુઝિક વિડિયો “સુટ્ટા” ની જાહેરાત કરી – પોસ્ટર જુઓ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામની સીમમાંથી ભરૂચ એલ.સી.બી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!