Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ૭૫ માં “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી સંદર્ભે મશાલ રેલી યોજાઈ.

Share

નડીયાદના ૭૫ જેટલા અધિકર્મચારીઓએ ઈપ્કોવાલા હોલથી સંતરામ મંદિર સુધી મશાલ રેલી કાઢી હતી. ૭૫ મા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અનુસંધાને રા.અ.પો.દળ, જૂથ-૭, આજની યુવા પેઢીમાં દેશભક્તિની લાગણી ફેલાય, દેશની આઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચે તે હેતુથી મશાલ રેલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ તહેવાર આપણને આપણી છુપાયેલી શક્તિઓને ફરીથી ઉજાગર કરવા માટે પ્રોત્સાહીત કરે છે અને રાષ્ટ્રોના સમુહમાં આપણું યોગ્ય સ્થાન પાછુ મેળવવા માટેનો પ્રમાણિક પ્રયત્ન છે. આ મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજીક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે. જે સ્વાતંત્ર્ય સેનાઓના યોગદાનને દર્શાવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉત્સવ એ છેલ્લા ૭૫ વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતિની અનુભૂતિનો તહેવાર છે. આ કાર્યક્રમમાં રા.અ.પો.દળના ડી.વાય. એસ.પી યાદવ સહિત અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : મેલેરિયા વિભાગનાં કર્મચારીઓને હાઉસ ટેકસનાં બિલો વહેંચવાની કામગીરી સોંપવામાં આવી જેનો નગરપાલિકા વિરોધપક્ષનાં નેતા સમશાદ અલી સૈયદએ વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. એ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીનાં ગુનાનાં એક ઈસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

લીંબડી તાલુકામાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એકસી મીટરથી ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!