Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : માતરના સંધાણા પાસે અજાણ્યા વાહનની ટક્કરે દંપતીનુ મોત.

Share

માતર પાસેના સંધાણા ગામ નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ હાઈવે નંબર 48 પર બુધવાર સવારે હિટ એન્ડ રન ઘટના બની છે. અહીયાથી પસાર થઈ રહેલ એક્ટીવાને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હતી. આથી એક્ટીવા પર સવાર દંપતી રોડ પર પટકાયા હતા. ટક્કર માર્યા બાદ આ વાહન અહીંયાથી ફરાર થઈ ગયુ હતુ. બીજી તરફ અકસ્માત બાદ આ દંપતીનું ઘટના સ્થળે મોત થયું હતું. આસપાસના લોકો દોડી આવતાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાદ સ્થાનિક પોલીસ બનાવ સ્થળે આવી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. આકસ્માતમા મૃત્યુ પામેલા બન્ને લોકોને માતર સીએચસીમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આ મરણજનાર વ્યક્તિઓના નામ રફીકભાઈ બરોડાવાળા અને તેમની પત્ની રહેનાબેન બરોડાવાળા છે. આ દંપતી ડાયાબિટીસની દવા લેવા જતાં આકસ્માત નડ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા દુ.વાઘપુરા ગામે વેપારી મંડળના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરિફ વરણી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાની સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!