Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડતાલધામમાં હનુમાનજીનું વિશેષ પૂજન આરતી અને અન્નકૂટ યોજાયા.

Share

વડતાલધામમાં આજે નરક ચૌદશ સાથે દીપાવલી દિપોત્સવ પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. ચૌદશના દિને પરંપરાગત રીતે સવારે વડતાલ મંદિરના પ્રવેશદ્વારે આવેલા પ્રસાદીના હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના થઇ હતી. પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પૂજાવિધિ થઇ હતી. કોઠારી ડૉ.સંત સ્વામી, ધર્મજીવન સ્વામી, શ્રી વલ્લભ સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા અને દાદાનું પૂજન કર્યું હતું અને અન્નકૂટ આરતી ઉતારી હતી.

પૂજાવિધિ પુરોહિત ધીરેન ભટ્ટે સંપન્ન કરાવી હતી. હનુમાનજી મંદીરના પૂજારી રાહુલ ભગતે પૂજ્ય મહારાજનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. અન્નકૂટ વ્યવસ્થા પાર્ષદ ઘનશ્યામ ભગત તથા કે.પી.સ્વામીએ સંભાળી હતી, જ્યારે ઉત્સવ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

USIBC એ જ્યુબિલન્ટ ભારતિયા ગ્રુપના શ્યામ એસ ભારતિયા અને હરિ એસ ભારતિયાને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો

ProudOfGujarat

સુરત ગ્રામ્ય LCBનો દરોડો: “ગાયનું શુદ્ધ ઘી”ના નામે શંકાસ્પદ ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું : કામરેજના નવાગામ ઉદ્યોગનગરમાં કાર્યવાહી, ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

જંબુસરમાં દબાણ હટાવો કામગીરીમાં કડકાઇ કરતાં રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા કરાઈ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!