Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં વૃદ્ધના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સો બારોબાર રૂ ૪. ૮૩ લાખ શેરવી લીધા

Share

નડિયાદ શહેરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ ઉં. ૬૮ નિવૃત્તિ જીવનગાળે છે. વૃધ્ધનુ શહેરમાં આવેલી બંધન બેન્કમાં ત્રણ એકાઉન્ટ છે. જેમાં બે એકાઉન્ટ સેવિંગ અને એક પત્ની સાથેનુ જોઈન્ટ એકાઉન્ટ છે. આ દરમિયાન તા. ૧૯ ઓક્ટોબરના રોજ અજાણ્યા શખ્સે વૃધ્ધની જાણ બહાર રૂપિયા ઉપાડી લીધા હતા. જે અંગેની જાણ વૃધ્ધને બેંકના મેનેજરે કરી હતી. તેથી વૃદ્ધ બેંકમાં જઈ તપાસ કરતા તેમને મૂકેલી એફડી અને સેવિંગ અકાઉન્ટમાથી મળી કુલ રૂ ૪.૮૩ લાખ ચાર ટ્રાન્ઝેક્શન થકી કોઇ અજાણ્યા શખ્સે ઉપાડી લીધા હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ અંગે વૃધ્ધના મોબાઇલમાં કોઈ ઓટીપી કે અન્ય કોઈ મેસેજ આવ્યો ન હોવા છતા બારોબાર બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા હતા આ બનાવ અંગે વૃધ્ધની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

તમારા સીસીટીવી કેમેરાના એંગલ અમારા ઘર તરફ કેમ રાખ્યા છે કહેતાં ત્રણ જણાનો દપતિ પર હુમલો

ProudOfGujarat

ભરૂચ : કતલખાને લઈ જવાતી સાત જેટલી ગાયોને જાગૃત નાગરિકો દ્વારા બચાવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં કાપોદરા ગામમાં મસ્જિદ મદ્રસા ટ્રસ્ટનાં કર્તાધર્તાઓએ જમીનો વેચી નાંખી કરોડો રૂપિયાનો વહીવટ કરી નાંખવાની ફરિયાદ બાદ વકફ બોર્ડ દ્વારા રિસીવરની નિમણૂક કરવામાં આવતા મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!