Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન                

Share

 (પેટા-તસ્કરોએ બંધ મકાનની બારી તોડી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના ચોર્યા)
 ઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ સોસાયટીના રહીશના બંધ મકાનને નિશાન બનાવી બારીની ગ્રીલ તોડીને રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન થઇ જતા તાલુકાના રહીશોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
       ઓલપાડ ટાઉનની શિવાલીક સોસાયટીના મકાન નંં:૧૦૪ માં રહેતા પાંડુરંગ રામદાસ ભામરે નિવૃત્તિ જીવન ગુજારે છે.તેઓ આજે સોમવારે બહારગામ ગયા હોવાથી તેનું મકાન બંધ હતું.જેથી બંધ મકાનનો લાભ ઉઠાવી કોઇ અજાણ્યા તસ્કરોએ બપોરે ૧ઃ૩૦ કલાકથી સાંજે ૭ કલાકના હરકોઇ સમયે મકાનના હોલની બારીની ગ્રીલ અને સ્લાઇડરીંગ તોડી મકાનમાં ઘુસ્યા હતા.જ્યારે મકાનમાં ઘુસેલા તસ્કરોએ બેડરૂમના કબાટનું લોક તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.જા કે પાંડુરંગ ભામરે મોડી સાંજે ઘરે આવ્યા ત્યારે,તેમના મકાનમાં ચોરી થયાનું જણાતા તેમણે ઓલપાડ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કોસંબા પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં નવજીવન એક્સપ્રેસ ટ્રેન પાલેજ ખાતે થોભાવાતા મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા.

ProudOfGujarat

નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે વિશાળ મૌન શાંતિ રેલી યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર- ચોરીના કેસમાં સંકળાયેલા વધુ એક આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!