Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ લેખક જયંત પાઠકની જન્મભૂમિ ઘોઘંબામાં તેઓનું સ્મારક બનાવવા જમીન ફાળવવા તંત્ર પાસે માંગ.

Share

ઘોઘંબા તાલુકાનું ગૌરવ એવા કવિ વિવેચક અને સંસ્મરણ લેખક શ્રી જયંત પાઠકની ૧૦૧મી જન્મજયંતી ઉજવવાની જાહેરાત પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ અગાઉ ઘોઘંબા તાલુકાના કાર્યકરો સાથેની મિટિંગમાં કરી છે.

કવિ અને લેખક જયંત પાઠકને પૂર્વ પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક વાતાવરણ પ્રત્યે તેમજ જન્મભૂમિ પ્રેમ હતો એ એમની રચનાઓ અને લેખનો પરથી ખ્યાલ આવે છે ત્યારે વતન ઘોઘંબામાં તેઓનું સન્માન થાય, તેઓનું સંસ્મરણ રહે એ હેતુથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેઓનું એક સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે.

Advertisement

જે સંદર્ભમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા નાયબ કલેકટરને એક રજુઆત પત્ર આપવામાં આવ્યું છે. આ પત્રમાં જણાવ્યું છે કે, કવિ જયંત પાઠકની જન્મભૂમિ ઘોઘંબામાં તેઓનું સ્મારક બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, તેઓની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તાલુકાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ જેવી કે કવિતા લેખન ગાન, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ પણ રાખવામાં આવશે અને તાલુકાના વિદ્યાર્થીઓને કવિ જયંત પાઠકના જીવન પરિચય કરાવવામાં આવશે એમ જણાવ્યું છે.જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ અને તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી સહિતના કાર્યકરોએ આ રજૂઆત પત્ર આપ્યું છે.

રાજુ સોલંકી ,પંચમહાલ


Share

Related posts

વલસાડ : ધરમપુર પોલીસે દેશી દારૂનો ગોળ અને નવસારનો જથ્થો પકડયો.

ProudOfGujarat

અજીત અરોરાની મલ્ટિસ્ટારર ફિલ્મ “ઉનાડ” JIO-સિનેમા OTT પર 8 મી જુલાઈએ રિલીઝ થશે

ProudOfGujarat

ખોટા દસ્તાવેજ બનાવી પી એફ ના ૧૬ લાખ ઉપરાંત ના નાણાંની ઉચાપત કરનાર  ભેજાબાજો સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!