Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનું આયોજન.

Share

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ કરાયો છે.

જેલોના વડા ડો. કે.એલ.રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેલમાં બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે ” આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે નવરાત્રી મહોત્સવ નિમિતે ગરબાનું આયોજન કરવા સૂચના થતાં રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોની બેરેકમા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. ઇન્ચાર્જ અધિક્ષક એલ.એમ. બારમેરા દ્વારા માતાજીની આરતી કરી બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભ આરંભ કરવામાં આવતા જેલમા ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

હાલોલ: ૨૪મીજૂને લીગલ સર્વિસીઝ કેમ્‍પ યોજાશે

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા 29153 મતથી આગળ…

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!