Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનું આયોજન.

Share

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ કરાયો છે.

જેલોના વડા ડો. કે.એલ.રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેલમાં બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે ” આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે નવરાત્રી મહોત્સવ નિમિતે ગરબાનું આયોજન કરવા સૂચના થતાં રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોની બેરેકમા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. ઇન્ચાર્જ અધિક્ષક એલ.એમ. બારમેરા દ્વારા માતાજીની આરતી કરી બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભ આરંભ કરવામાં આવતા જેલમા ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર રહ્યા હાજર

ProudOfGujarat

ભારતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્રચાર અર્થે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં મોકલવામાં આવ્યા

ProudOfGujarat

નવસારી-આમડપોરના અજિત દેસાઇને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!