Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા નિર્ભયા સ્કવોર્ડની મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું.

Share

નિર્ભયા સ્કવોર્ડની બહાદુર મહિલા લોકરક્ષક ગોસ્વામી વર્ષાબેન ડુંગરપુરી જેમણે રાજપીપળા ખાતે રોમિયોગીરી કરતા છોકરાઓ એના નામથી ફફડતા હતા અને જે રસ્તેથી નીકળે તે રસ્તેથી છોકરાઓ ભાગી જતા હતા. એવી બહાદુર લોક રક્ષકને વાહન અકસ્માત નડતા તેને સારવાર માટે વડોદરા લઈ ગયા હતા અને ત્યાં તેમનું સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયું હતું. જેનાથી સમગ્ર નર્મદા પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

એમના પાર્થિવ દેહને એમના વતન ગામ ભલાસડા તાલુકો થરાડ જીલ્લો બનાસકાંઠા ખાતેલઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એમની પાર્થિવ શરીરને પંચતત્વમાં વિલિન થયો એ વખતે અંતિમયાત્રામ બનાસકાંઠાની પોલીસ અને નર્મદા જિલ્લામાથી પીએસઆઈ કે કે પાઠક તથા પોલીસના માણસો સાથે હાજર રહી ભાવભીની અંતિમ વિદાય આપીહતી

Advertisement

પીએસઆઇ પાઠકે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું એમના ગામ જઈ આવ્યો ત્યાં જાણવા મળ્યું કે એ છોકરી ખૂબ જ ગરીબ ઘરની હતી અને પોતે બીજાના ખેતરમાં મજુરી કામ કરીને પોલીસમાં ભરતી થઈ હતી. એમના ઘર એમના જ ઉપર ચાલતું હતું. એમનાથી બે હજુ નાના બેન છે એમનું અભ્યાસનું પણ એ પોતે જ ખર્ચો પુરી પાડતી હતી.

રાજપીપળામાં અભ્યાસ કરતી બહેન દીકરીઓ રક્ષા માટે 24 કલાક તૈયાર રહેતી હતી અને રોમિયો ડામવામાં ખુબ જ મહેનત કરી જેથી રાજપીપળાના બહેન દીકરીઓ સુરક્ષિત થતી અને વૃદ્ધા પેન્શન વિધવા પેન્શનમાં ખૂબ જ મહેનત કરી 2000 જેવા લોકોને સહાય અપાવી અને આજે વર્ષાબહેનના પરિવારમાં આજે અંધારું થઈ ગયું છે એના પરિવારને આજે આર્થિક મદદની ખૂબ જ જરૂર હોવાથી એના પરિવારના મદદ માટે આગળ આવવા પીએસઆઇ પાઠકે સૌને અપીલ કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપળા : તિલકવાડા તાલુકાનાં 100 વધુ ગામોમાં પાણીના અભાવે કપાસનો પાક સુકાતા પાણી છોડવાની ખેડૂતોએ કરી માંગ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ મંડળનાં યુવાનોની પ્રશંસનીય કામગીરી ૫૦,૦૦૦ થી વધુ વૃદ્ધોને કોરોના વિશે સમજણ આપી મેડિકલ સર્વે સહિતની કામગીરી કરી.

ProudOfGujarat

અમદાવાદ-હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ-હાર્દિકની તબિયતનું સતત મોનિટરીંગ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!