Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતા નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વિના-મુલ્યે છત્રીનું વિતરણ કરાશે.

Share

નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતાં નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની સંકલિત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા નર્મદા જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વિભાગની માર્ગદર્શિકા/ઠરાવ મુજબ મંજુરી મળેલ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા જિલ્લાના લાભાર્થીઓએ i-khedut પોર્ટલ પર તા.૧૨/૦૭/૨૦ થી તા.૧૫/૦૮/૨૦ સુધી ઓનલાઈન અરજી કરી અરજીઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂ.નં ૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવા સદન, નર્મદા– રાજપીપલા ખાતે સ્વીકારવામાં આવશે, (કચેરી સંપર્ક નં.૦૨૬૪૦-૨૨૧૮૮૯) તેમ,નાયબ બાગાયત નિયામકશ્રી નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પશ્ચિમ વિસ્તારની વિવિધ લઘુમતી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ના સ્ક્રેપ ના વેપારી ની નજર ચૂકવી ગઠિયા ઓ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ફરાર થયા જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!