હાલ દેશ ભરમાં આઝાદીના ૭૫ વર્ષને અમૃત વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, દેશ ભરમાં વિવિધ સ્થળેથી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહું છે, ગુજરાત રાજ્યમાં પણ હર ઘર તિરંગા અભિયાનમાં લોકો જોડાયા છે, ભરૂચ જિલ્લા ખાતે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે.
આજરોજ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા ખાતેથી વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ટ્રસ્ટ દ્વારા આયોજીત તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મુસ્લિમ સમાજના વિવિધ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી. મહંમદપુરા સર્કલથી પાંચબતી સુધી યોજાયેલ આ તિરંગા યાત્રાએ શહેરના માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744
Advertisement