Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી ડી.એ.શાહ.

Share

ગુજરાતના અધિક વિકાસ કમિશ્નર ડી.એ.શાહની (IAS) નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજે તા. ૧ લી ઓક્ટોબર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. પૂર્વ કલેક્ટર એમ.આર.કોઠારી ગઇકાલ તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ના રોજ વય નિવૃત થતાં તેમની જગ્યાએ શ્રી શાહની નિમણૂક થઇ છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગાંધીનગર ખાતે અધિક વિકાસ કમિશ્નર તરીકે ડી.એ.શાહ રેગ્યુલર ફરજના ભાગરૂપે કાર્યરત હતા તે સમય દરમિયાન અમદાવાદ શહેરની કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર તરફથી તાત્કાલિક અસરથી ખાસ ફરજ પરના અધિકારી તરીકે ડી.એ.શાહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવીડ મેનેજમેન્ટ માટે ફરજ સોંપવામાં આવી હતી અને છેલ્લાં પાંચ મહિનાથી તેઓ સતત કોવીડ મેનેજમેન્ટની કામગીરી સંભાળતા હતા.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

સાહેબ પાર્કિંગ ક્યાં છે..? ભરૂચ -અંકલેશ્વરમાં ગાડીઓ લોક મારી દંડ વસુલતી પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ૯૮ મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન.

ProudOfGujarat

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે ૪૦ વર્ષીય યુવકે ટ્રેન સામે આવી આપઘાત કરતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!