Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામાં તા. 12 એ ભગવાન જગન્નાથની રથયાત્રા કોવીડ 19 ના પ્રોટોકોલ પ્રમાણે નીકળશે.

Share

રાજપીપલામા તા. 12 એ ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલીવાર કોવીડ 19 ના પ્રોટોકોલ પ્રમાણે નીકળશે. આ રથયાત્રામા 60 વધુ લોકોને ભેગા કરી શકાશે નહીં. તેમજ આ વખતે ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વગેરે રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેવા પ્રતિબંધ મુકાયો છે. તથા પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮-કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે.

આ અંગે નર્મદા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પણ રાજયમાં ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢવા માટે મંજુરી આપવા રાજ્ય સરકારને મૌખિક અને લેખિત વિવિધ રજુઆતો મળેલ છે. આ રજુઆતો તથા રાજયની હાલની કોરોના સંક્રમણની પરિસ્થિતિની રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવેલ છે.

Advertisement

આગામી અષાઢી બીજ એટલે કે તા.૧૨.૦૭.૨૦૨૧ના રોજ રાજયમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાને નીચેની શરતો) નિયંત્રણોને લક્ષમાં રાખી સ્થાનિક વહીવટીતંત્રએ મંજૂરી અંગેનો નિર્ણય લેવાનો રહેશે.સ્થાનિક વહિવટી તંત્રએ સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. રથયાત્રા/શોભાયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ ૫ (પાંચ) સંખ્યાનારથ /વાહન સાથે નિકળશે. પરંતુ, અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરેરથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લઇ શકશે નહીં. કેટલીક રથયાત્રાઓ/શોભાયાત્રાઓ યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિક વાહનો/ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવે છે. જેથી, સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાતોને ધ્યાને રાખી રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની રહેશે અને, કોઇ પણ સંજોગોમાં એક સાથે ૬૦ થી વધારે ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮-કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. આ તમામે COVID-19 વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે. જોકે બંને ડોઝ લીધેલા હોય તે હિતાવહ રહેશે. તમામે coVID-19 પ્રોટોકલનું પાલન કરવાનું રહેશે. રથયાત્રા દરમિયાન રથયાત્રામાં સામેલ રથ વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે. COVID-19ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા /શોભાયાત્રા દરમિયાન માર્ગ ઉપર પ્રસાદ વિતરણ થઈ શકશે નહી. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં ઉદ્યોગપતિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બે શખ્સો ફરાર.

ProudOfGujarat

સુરત : ઉત્તર બુનિયાદી વિદ્યાલય બિલવણ મુકામે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઈ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર પટેલ હવે પંતગોમાં છવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!