Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન યુદ્ધમાં વપરાતી ઐતિહાસિક તોપ મળી.

Share

સુરત શહેર એક ઐતિહાસિક નગરી છે.આ વાતના પુરાવા પણ મળ્યા છે. મેટ્રોના ખોદકામ દરમિયાન એક એવી વસ્તુઓ મળી આવી કે જેને જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. મહાકાય વસ્તુ યુદ્ધમાં વપરાતી સામગ્રી હોવાનું માનવામાં આવે છે. જે મુઘલ કાળ વખતની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખુદ સુરતના મેયર પણ નિહાળવા માટે પહોંચ્યા હતા.

અહીંથી મેટ્રોની કામગીરી દરમિયાન ચોક બજાર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન યુદ્ધમાં વપરાતી ઐતિહાસિક કિલ્લાની બરાબર સામે જ તોપના નાળચા મળી આવ્યા હતા. આ વિસ્તારને મોગલ કાળના ઇતિહાસ સાથે ખુબ જ જૂનો સંબંધ છે. ત્યારે આ તોપના નાળચા મળી આવતા આ વાતનો પુરાવો આપે છે તેવી પણ ચર્ચા લોકોમાં વહેતી થઈ હતી.

Advertisement

આ બનાવની જાણ થવાની સાથે જ સુરતના મેયર હેમાલી બોઘાવાલા પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ પર તોપના નાળચાને નિહાળ્યા હતા. આ અંગે જાણકારોએ કહ્યું હતું કે,આ તોપ મુઘલ કાળની છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે અંગ્રેજોના સમયની તોપ હોઈ શકે છે. તો આ તોપને ઐતિહાસિક કિલ્લામાં પ્રદર્શન માટે મુકવામાં આવશે અને લોકો પણ આ તોપને નિહાળી શકશે તેવી વ્યવસ્થા ઉભી કારમાં આવશે.


Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓ હવે ફાયર સેફટીથી સજજ બનશે.

ProudOfGujarat

જામનગરમાં બજેટ 2024 – 25 ભારતીય જનતા પાર્ટી શહેર – જિલ્લા સંગઠન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

ભરૂચમાં પારિવારિક ઝઘડાને કારણે નર્મદા બ્રિજ પર આત્મહત્યા કરવા ગયેલા યુવાનને બચાવતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!