Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના ગોંદલીયા ગામે ખેડૂતે ખેતરમાંથી લાકડા કાપવાનો આરોપ મુકી શ્રમજીવીને માર માર્યો

Share

ઉમરપાડા તાલુકાના ગોદલીયા ગામના ખેડૂતે ખેતરમાંથી લાકડા કાપવાનો આરોપ મૂકી શ્રમજીવીને માર મારતા ખેડૂત વિરુદ્ધ હાલ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

ચિતલદા ગામના ઈશ્વરભાઈ બાબીયાભાઈ વસાવા ઉંમર વર્ષ 45 વહેલી સવારે જંગલમાં લાકડા કાપવા માટે ગયો હતો અને લાકડા કાપી પરત આવી રહ્યો હતો ત્યારે ગોંદલીયા ગામે પાણીની ટાંકી પાસે ભગુભાઈ કોટનિયાભાઈ વસાવા નામના ખેડૂતે તેને રસ્તા વચ્ચે આંતર્યો હતો અને મારા ખેતરમાંથી લાકડા કેમ કાપી લાવ્યો તેવો આરોપ મૂક્યો હતો આ સમયે ઈશ્વરભાઈએ હું જંગલમાંથી લાકડા કાપી લાવ્યો છું તારા ખેતર લાકડા કાપ્યા નથી તેવું કહેવા છતાં ભગુ વસાવા ઉશ્કેરાઈ ગયો હતો. કુહાડીના હાથા વડે માથામાં ઘૂંટણ પર અને હાથ ઉપર કુહાડીના હાથા વડે સપાટા માર્યા હતા અને ગંદી નાલાયક આપી હતી. ઇશ્વરભાઇ એ બચાવો બૂમો પાડી હતી જેથી હુમલો કરનાર જતો રહ્યો હતો આ સમયે મગનભાઈ બાપુડીયાભાઈ વસાવા ત્યાં આવ્યા હતા તેમજ ચિતલદા ગામથી ભાઈ શાંતિલાલ વસાવા અને ભાણેજ મનસુખ વસાવા દોડી આવ્યા હતા અને લોકો ભેગા થયા હતા ત્યારબાદ 108 ની મદદથી ઈશ્વરભાઈને ઉમરપાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ ગુના સંદર્ભમાં ઈશ્વરભાઈ વસાવા એ ભગુભાઈ કોટનિયાભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર.

ProudOfGujarat

અલવિદા કોમરેડ… લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું ૮૯ વર્ષની વયે નિધન છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા

ProudOfGujarat

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!