Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સુરત ખાતે આજ રોજ ઇસ્લામી શરીઅતમા દખલગીરી ન કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

Share

(તલ્હા ચાંદીવાલા, સુરત)

સુરત શહેરની મહિલાઓ એવું માને છે કે મુસ્લિમ મહિલા લગ્ન અને તલાક ધારો(મુસ્લિમ પર્સનલ લો)કાનુન – ૨૦૧૭ લોકસભામાં મુસ્લિમ ધાર્મિક વિદ્વાનોઅને બુદ્ધિજીવીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા વિના ઉતાવળે પસાર કરી દેવાયો છે. સુપ્રીમ કોર્ટના ૨૨-૮-૨૦૧૭ નાં જજમેન્ટ પછી આવા કોઈ બિલની જરૂર હતી જ નહિ, આ બિલ અસામાજિક છે, જેમ કે તેમાં સિવિલ મેટર્સમાં ક્રિમીનલ મેટરની જેમ સજાની જોગવાઈ છે.

Advertisement

મુસ્લિમ બહેનો આ બીલને નકારી કાઢિએ છીએ અને આપણે આગ્રહ કરીએ છીએ કે આ બિલ ભારતના સંવિધાન અને મહિલાઓના અધિકારની વિરુદ્ધ છે.

અમે ભારતના રાષ્ટ્રપતિના તાજેતરના જોઈન્ટ પાર્લમેન્ટરી પ્રવચન દરમ્યાન સ્ત્રીઓ માટે કહેલા શબ્દો “Muslim women were captures to political cause & this bill will emancipate them and give honour & dignity ” થી ઘણો જ આઘાત લાગ્યો છે અને તમામ મુસ્લિમ મહિલાઓની લાગણી દુભાઈ છે. આ પ્રકારની ટિપ્પણીઓ અને શબ્દો દેશના સહુથી મોટા લઘુમતી સમુદાય પર સીધો શાબ્દિક પ્રહાર છે અને અપમાનજનક છે.

અમે વર્તમાન સરકારે રાષ્ટ્રપતિના માધ્યમથી કરેલ આવા અભિગમનો વિરોધ કરીએ છીએ.

અમારી માંગણી છે કે, મુસ્લિમ મહિલાઓ વિષે કહેલા આ શબ્દો પાર્લામેન્ટનાં પ્રવાચનમાંથી દૂર કરવામાં આવે. સરકારને સલાહ અને માર્ગદર્શન આપે કે દેશના સૌથી મોટા લઘુમતી સમાજની લાગણીઓને આ રીતે આઘાત ન પહોંચાડે.


Share

Related posts

ડેડીયાપાડા તાલુકાના ડુમખલ દેવરા આબાબારી ખાતે સગીર કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ…

ProudOfGujarat

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય કર્મીઓનો કાળી પટ્ટી પહેરી સરકાર સામે દેખાવો કર્યો

ProudOfGujarat
error: Content is protected !!