Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

Share

સુરતમાં છેલ્લા ધણા સમયથી ગાંજાના સ્પ્લાયરો વધી ગયા છે. જેમાં પણ સુરતમાં ઉડીશાથી આવતી ટ્રેનોમાં ગાંજો મોકલનારા સપ્લાયરને અહીં મોટા વેપારી પણ સુરતમાં છે ત્યાં વારંવાર સુરતમાં ગાંજો વેચનારા ઝડપાયા છે ત્યાં ફરી સુરતમાં ગાંજાનો મોટો જથ્થો રેલ્વે ફાટક નજીક સપ્લાયરો દ્વારા ટ્રેનમાંથી ફેંકવામાં આવ્યો હતો. જેમાં સુરતમાં માલ્યાવાડ ફાટક નજીક લાલ સૂટકેસ અને બે થેલા ફેંકવામાં આવ્યા હતા. જોકે થેલામાં શંકાસ્પદ વસ્તુ દેખાતાં સુરત રેલ્વે આર.પી.એફ ને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. થેલા ખોલી જોતાં અંદરથી 42 કિલો ગાંજા કે જેની બજાર કિંમત રૂ.252000 નો મુદ્દામાલ હતો તે કબ્જે કરીને આ મુદ્દામાલ કોણે ફેંક્યો હતો કોણ હતા તેની વિગતો રેલ્વે આર.પી.એફ એ મેળવવાનું શરૂ કર્યું છે.

Advertisement

Share

Related posts

સોનગઢ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કક્ષાની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસની કારોબારી સભા તેમજ અભિવાદન સમારોહ યોજાયો. 7 ઠરાવો સર્વાનુમત્તે મંજૂર કરાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કુલ પાંચ કોરોના પોઝિટીવ કેસ આવતાં જીલ્લાનાં અલગ-અલગ વિસ્તારને કોરન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!