Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

Share

સુરતના ચોકબજાર ખાતે આવેલા આર્ય સમાજ ભવન પાસે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે બે ફોર વ્હિલર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. પાર્ક કરેલી કારમાં આગ લાગતાં આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયરબ્રિગેડે ધટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે લાગેલી આગ સૌ પ્રથમ એક કારમાં લાગ્યા બાદ બીજીમાં પ્રસરી ગઈ હતી.સ્કોડા નંબર (GJ01KM2676) અને મારુતિની ઈકો નંબર (GJ5JQ5465) કારમાં આગ લાગી ગઈ હતી. જેથી આસપાસ ભાગદોડ મચી ગઈ હતી. ધટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડનો કાફલો ધટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, આગ કયા કારણોસર લાગી તે સામે આવી શકયું નથી.

Advertisement

Share

Related posts

અદાણી જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી રોકાણો સામે કોંગ્રેસે બાયો ચઢાવી, ભરૂચમાં ધરણાં પ્રદર્શન થકી કર્યો વિરોધ.

ProudOfGujarat

ભાડભૂત ગામ ખાતે નવજાત મૃત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી ….

ProudOfGujarat

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભરૂચની રંજન વસાવા સરકારના આમંત્રિત વક્તા બન્યા : મહિલા ઉદ્યોગસાહસિકતા, આદિવાસી સશક્તિકરણ અને પ્રાકૃતિક ખેતી અંગે રજૂ કર્યા વિચારો; “કેટલીક ક્ષણો જીવનભરની પ્રેરણા બની જાય છે” – રંજન વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!