Proud of Gujarat
GujaratFeaturedINDIA

‘આપ’ ના નેતા અને ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામ સામે 307 ની કલમ દૂર કરવા સુરત કલેકટરને આવેદનપત્ર.

Share

આમ આદમી પાર્ટીના નેતાઓ જૂનાગઢ ખાતે પ્રવાસ દરમિયાન લેરિયા ગામમાં તેમના ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવી રહ્યો છે. ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ સામે ઇન્ડિયન પીનલ કોડની 307 ની કલમ દાખલ કરાતા રોષ જોવા મળી રહ્યો છે.

જન અધિકાર મંચ દ્વારા પ્રવિણ રામ સામે 307 ની કલમ દૂર કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ‘આપ’ના નેતા અને ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામ સામે 307 ની કલમ દૂર કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Advertisement

જુનાગઢ મુકામે આપના કાર્યકર્તાઓ પર થયેલા હુમલા બાદ આમ આદમી પાર્ટીના પ્રતિષ્ઠિત કાર્યકર્તા પ્રવીણભાઈ રામ પર અન્યાયી અને જુલ્મી ધોરણે કલમ 307 લગાવામાં આવી છે એ કલમ હટાવવા સુરત કલેકટરને રજુઆત કરવામાં આવી. ગુજરાત જન અધિકાર મંચ સુરત જિલ્લા પ્રમુખ સાગરભાઇ આહીર તેમજ સંગઠનના ૫૦ જેટલા કાર્યકર્તાઓ દ્વારા કોવિડ 19 ના નિયમોનું પાલન કરીને સુરત જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન આપીને તાત્કાલિક ધોરણે અન્યાયી કલમ 307 હટાવવા બાબતે અનુરોધ કરવામાં આવેલ છે.


Share

Related posts

અંકલેશ્વરનાં રાજપીપળા ચોકડીથી જી.આઇ.ડી.સી. ને જોડતા બિસ્માર માર્ગેને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર બન્યો અકસ્માત થાય તો જવાબદાર કોને ગણવા

ProudOfGujarat

તમારા મૃત્યુના દિવસો નજીક છે,ભરૂચ સાંસદ મનસુખ વસાવાને ધમકી…જાણો શુ છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!