Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : હજી કોરોનાનું તાંડવ પત્યુ નથી ત્યારે સુરતના વરાછામાં નથી માસ્ક કે નથી સોશ્યલ ડિસ્ટન્ટ : તંત્ર વાતથી અજાણ.

Share

કોરોના મહામારીની ત્રીજી લહેરે સુરત શહેરમાં હડકંપ મચાવી દીધી હતી જેમાં કેટલાય પરિવારના પરિજનોએ જીવ ગુમાવ્યા હતા, કેસમાં વધારો થવા લાગ્યો હતો જેને કારણે માણસો એક એક દિવસમાં હજારની સંખ્યામાં મરી જવા પામ્યા હતા પરંતુ કેસમાં ઘટાડો શું થયો લોકો બીજી લહેરને જ ભૂલી ગયા છે, જો આમ જ રહેશે તો ત્રીજી લહેરને આવતા વાર નહિ લાગે જેથી સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર આ વિસ્તારની મુલાકાત લેશો તો તે પણ આ દ્રશ્ય જોઈ તત્કાલ કાર્યવાહી કરવા આદેશ આપશે.

સુરતના વરાછા પાસે આવેલ મોહનનગરમાં ભારે ભીડ જોવા મળી હતી. વાહનચાલકો અને રાહદારીઓ કોઈ પણ માસ્ક પહેરતા નથી કે નથી દુકાનદારો પહેરતા છતાં પણ તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે વરાછા પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાંથી કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે છતાં પણ પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે.

Advertisement

પોલીસ તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર જો આ વિસ્તારની મુલાકાત લેશે તો આ દ્રશ્ય જોઇ તે પણ અચંબામાં મુકાઈ જશે તેમા શંકાને સ્થાન નથી.


Share

Related posts

અંકલેશ્વરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની સાથે આડા સંબંધ રાખનાર મિત્રનું મિત્રએ જ ઢીમ ઢાળયુ.

ProudOfGujarat

આમના શરીફ ઘરચોળા માટે એક લાખ રૂપિયા ખર્ચ કરશે!?

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીનાં ગીતાપાર્ક અને મોટાવાસ વાડી વિસ્તારમાં ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!