Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં છાલીયા તળાવ ખાતે શીતળા માતાજીના મંદિર ખાતે મેળો યોજાયો

Share

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં દરેક તહેવારોને ખુબ જ મહત્વ આપવામાં આવે છે અને તે જ રીતે આજના રોજ એટલે કે શીતળા સાતમના દિવસે ખુબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે કારણ કે આજના દિવસને તાઢી સાતમ કહેવામાં આવે છે અને આજે લીંબડીમાં તવંગર હોય કે ગરીબ તે પોતાના ગઇકાલનું ઠંડુ રાઘેલું ખાતા હોય છે. લીંબડીથી આશરે ૨ કિલોમીટર અંતરે શીતળા માતાજીનું મંદિર આવેલું છે જયા લીંબડી તાલુકાના તથા આજુબાજુના ગામડાઓના લોકો પગપાળા શ્રધ્ધાથી ચાલીને આવતા હોય છે અને પોતાની માનતા(બાધા) જે માતાજી પાસે લીધેલ હોય છે તે પુરી કરતા હોય છે. આ મેળામાં આવીને નાના નાના ભુલકાઓથી લઇને વૃધ્ધો પણ આ મેળાનો લ્હાવો લેતા હોય છે. અહિયા નાના બાળકો માટે ચકડોળ, હોડી, જુલા વગેરે મનોરંજન માટે મુકવામાં આવેલ છે. અહિયા માણસો આવીને લારીના સ્ટોલ ઉપરથી અલગ અલગ વાનગીનો સ્વાદ માણી મનને પ્રફુલીત કરતા જોવા મળે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

હાંસોટના એએસઆઇ-જીઆરડી સહિત 7 જણા દારૂની મહેફિલ માણતો વિડિયો વાયરલ

ProudOfGujarat

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી.

ProudOfGujarat

રાજપીપલામાં આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલીવાર કોરોના ગાઈડલાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!