Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડા તાલુકાનાં માલવણ ગામે બેંક કર્મચારીને કોરોના પોઝિટિવ.

Share

માલવણ હાઇવે પર આવેલી આઇસીઆઇસી બેંકના મેનેજર મૌલિક પટેલ અને કેશીયર મોહિત શ્રીવાસ્તવ બંને અમદાવાદ મણીનગરથી માલવણ બેંકમાં રોજ અપ-ડાઉન કરતા હતા. જેમાં સોમવારે કેશીયર મોહિત શ્રીવાસ્તવને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ આ બેંકના મેનેજર મૌલિક પટેલ અને પાટડીથી આ જ બેંકમાં કામ કરતા નિતીન નામના શખ્સને 14 દિવસ માટે કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. આ અંગે પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. રાજકુમાર રમણે જણાવ્યું કે, આ બનાવની જાણ થતા તુરંત જ કોરોન્ટાઇન થયેલા મેનેજર મૌલિક પટેલ સાથે વાત કરી આગામી 14 દિવસ બેંક નહીં ખોલવાની કડક સુચના આપી દેવામાં આવી છે અને મેનેજરને પાછલા 14 દિવસમાં આ કેશીયર સાથે કયાં કયાં ગામના કેટલા વ્યક્તિઓએ રોકડની લેવડ-દેવડ કરી હોય તેની સંપૂર્ણ વિગત આપવાની સાથે મંગળવારે માલવણ આઇસીઆઇસી બેંકને સેનેટાઇઝેશન કરવા સહિત માલવણ પહોંચીને આગળની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના પહેલાં જ દિવસે બેંકના કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે પાંચ ઈસમો ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

ભરૂચ:વોર્ડ નં-૬ માં વરસાદ આવતા જ રસ્તાઓની હાલત બિસ્માર.સ્થાનિકોમા ચૂંટાયેલા નગર સેવકો પ્રત્યે રોષની લાગણી…

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઈવે અંસાર માર્કેટ નજીક ફોરવ્હીલ ગાડી અને ટેમ્પો વચ્ચે અકસ્માત, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!