ભરૂચ સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ૨૦૨૫” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ તથા એનિમિયા નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૮મો પોષણ માસતા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઇ રહ્યો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા મુખ્ય કાર્યક્રમ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે યોજાયો હતો. જેમાં પાણી અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય, જિલ્લા તંત્રના વિવિધ અધિકારી કર્મચારીઓ, આંગણવાડીના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌએ “પોષણ શપથ” પણ લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર પણ સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી “રાષ્ટ્રીય પોષણ માસ – ૨૦૨૫” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ...
ભરૂચ માર્ગ અને મકાન વિભાગ, ભરૂચ (રાજ્ય) હસ્તકના વિવિધ રસ્તાઓ પર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી...
ભેંસલી ગામ પાસે રામદેવ હોટલ નજીક બનેલી ઘટના ભરૂચ. અંક્લેશ્વરના 500 ક્વાટર્સ પાસે આવેલી ગણેશ રેસિડન્સી ખાતે રહેતાં સુનિલ શ્રીરામ પાલ ગૌરી ટ્રાન્સપોર્ટ નામનો કોન્ટ્રાક્ટ...
ભરૂચ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૭૬મો વન મહોત્સવ તાલુકા કક્ષાએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પ્રાંગણમાં યોજાયો હતો. આ અવસરે, સામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનો ઋણ ચૂકવવાના પ્રયાસ રૂપે શાળાના બાળકો, મહાનુભાવોના સહયોગથી “એક પેડ મા કે નામ” અભિયાનને આગળ ધપાવતાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો માનવજીવન માટે આશીર્વાદ સમાન છે. આ તકે, પર્યાવરણનું સંતુલન જાળવવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવું અને તેનું સંવર્ધન કરવું જોઈએ એવો સંકલ્પ કર્યો હતો. શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉત્સાહી ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને અનોખી ઉજવણીનું સ્વરૂપ મળ્યું હતું.આ કાર્યક્રમમાં બી.આર.સી કોઓર્ડીનેટર સુધાબેન વસાવા,પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના આચાર્ય રંજનબેન, શિક્ષકો, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ, પ્રમુખ યોગેશભાઈ અને મહામંત્રી માનસિંગભાઈ, મહિલા અગ્રણીઓ, શિક્ષકો ઉપસ્થિત રહી “વન મહોત્સવ – ૨૦૨૫”ને સફળ બનાવવામાં આવ્યો હતો....
ભરૂચ. અંક્લેશ્વરના ભડકોદરા ખાતે રહેતાં ચંદન વિજય પ્રતાપચંદ ભડકોદ્રાની જ મદીના રેસિડન્સીમાં રહેતાં તેના કોન્ટ્રાક્ટકર ઝાકીર મોહમદ યુનુસ સાથે તેમની બાઇક પર બેસીને અંક્લેશ્વરથી દહેજ...